મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 400 કિમી દૂર પન્ના જિલ્લામાં એક ગામ છે જનવાર. 7 વર્ષ અગાઉ 1400 લોકોની વસતિવાળા આ ગામમાં ન સડક હતી કે ન વીજળીની સુવિધા. મોટા ભાગની જમીન વેરાન હતી, એટલે કે ખેતી માટે પણ નહિવત્ શક્યતા. ગામના લોકો જેમ તેમ મજૂરી કરીને જીવન પસાર કરતા હતા. મહિલાઓની સ્થિતિ તો વધુ ખરાબ હતી. એક રીતે તેમનું જીવન મજબૂર હતું. બાળકો માટે ન તો શિક્ષણનો માહોલ હતો કે ન તો તેઓ સ્કૂલે જતાં હત�